Friday, May 11, 2018

Language

Language
Everyday educational information is put on this website. There is a lot of useful literature available in various examinations conducted in Gujarat. Examinations such as GPSC, UPSC, Bank, Clark, Talati, Police, Tat, Tata, H. Tate, C. R. C., B.R.C. Visit this website to prepare topics such as language, math, science, social, general knowledge, etc. in competitive exams. There are a lot of useful literature available on the primary school. If you want to be a primary school teacher or prepare for a competitive examination, then this website has been given the treasure of information about Gujarat, India, world related general knowledge, mathematics, science subjects.

1.    ભાષાને શું વળગે ભૂર,રણમાં જે જીતે તે શુર.    - અખો  
2.    મને એ જોઇને હસવું હજારો વાર આવે છે,
પ્રભુ ! તારા બનાવેલા તને આજે બનાવે છે.    - હરજી લવજી દામાણી
3.    જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની,  - કવિ કલાપી
4.    યા હોમ કરીને પડો,ફતેહ છે આગે.  - કવિ નર્મદ  
5.    અમને નાખો જિંદગીની આગમાં,
      આગને પણ  ફેરવીશું બાગમાં.....  - શેખાદમ આબુવાલા  
6.    હેજી તારા આંગણીયે કોઈ આવે તો
       એને આવકારો  મીઠો આપજે રે......   - દુલા કાગ  
7.    ઉપરવાળી બેંક બેઠી છે આપની માલામાલ;
      આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. - મકરંદ દવે  
8.    હું માનવી માનવ થાઉં તો ધણું.    - સુન્દરમ્  
9.    જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.   -          અરદેશર ખબરદાર  
10.    જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત અરુણું          પ્રભાત.   - કવિ નર્મદ  
11.    જ્યાં સુધી ગુજરાતી ભાષાને ને હું ઉચ્ચ સ્થાન પર નહી
મુકુ ત્યાં સુધી હું પાધડી નહીં બાંધુ.       - પ્રેમાંનદ
12.    ગુણવંતી ગુજરાત,અમારી ગુણવંતી ગુજરાત નમીએ
નમીએ માત,અમારી ગુણવંતી ગુજરાત.      - કવિ અરદેશર ખબરદાર
13.    મળતાં મળી ગઈ મોંધેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે.    - ઉમાશંકર જોશી  
14.    ધન્હો ! ધન્ય જ પુણ્ય પ્રદેશ અમારો ગુણીયન ગુર્જર-દેશ   - ન્હાનાલાલ  
15.    હા ! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.  - કલાપી  
16.    જનનીની જોડ સખી ! નહિ જડે રે લોલ !    - કવિ બોટાદકર  
17.    રામ રાખે તેમ રહીએ,ઓધવજી રામ રાખે તેમ રહીએ..    - મીરાંબાઈ  
18.    જીવન અંજલી થાજો ! મારું જીવન અંજલી થાજો,
ભૂખ્યા કાજે ભોજન બનજો,તરસ્યાનું જળ થાજો.              - કરસનદાસ માણેક
19.    છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ !
સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ !             - ઝવેરચંદ મેધાણી
20.    રે પંખીડા ! સુખથી ચણજો,ગીતવા કાઈ ગાજો,
શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો.           -  કવિ કલાપી
21.    હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો?  - દલપતરામ
22.    તુજ મહેફિલમાં સૌને નોતરજે જમને અશ્રુનો થાળ એકલો.    - કવિ કલાપી
23.    આવે છે મને યાદ દિવસરાત ખુદાની લાગે છે હવે જિંદગી
સોગાત ખુદાની.                         - બરકત વિરાણી
24.    રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના?            - અમૃત ધાયલ  
25.    ત્રણ વાનાં મુજને મળ્યાં,હૈયું ,મસ્તક, હાથ;
બહુ આપી દીધું નાથ, જા,ચોથું નથી માગવું .            - ઉમાશંકર જોશી
26.    સિંહને શસ્ત્ર શાં ! અને વીરને મુત્યુ શાં !                       - કવિ ન્હાનાલાલ
27.    ભરત ભૂમિની ગુણવંતી લધુ પુણ્યવતી રસભૂમિ
સત્યાગ્રહની કર્મભૂમિતું,ઝઝૂમીએ જહાં ધૂમી જય ગાન
ગજવના માન ! તુજને વંદન જય ગુજરાત                   - બચુભાઈ રાવત
28.    મંગલ મંદિર ખોલો ! દયામય મંગલ મંદિર ખોલો !          - નરસિંહરાવ દિવેટિયા
29.    બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું
નિખાલસ પ્રેમથી પારો જગત,તો ઝેર પી જાશું.    -  ગની દહીંવાલા
30.    વ્યક્તિ મટી બનું હું વિશ્વમાનવી.                - ઉમાશંકર જોશી
31.    મારા નયણામાંની આળસ રે ન નીરખ્યા હરિને જરી
એક મટકુ ન માંડ્યું રે,ન ઠરિયા ઝાંખી કરી.            - ન્હાનાલાલ
32.    સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે,સૌદર્ય પામવા
માટે સુંદર બનવું પડે. - કલાપી  
33.    વૈષ્ણવજન તો તેને રે કહીએ......                - નરસિંહ મહેતા
34.    એક મુરખને એવી ટેવ,પત્થર એટલા પૂજે દેવ....        - અખો
35.    હરિનો માર્ગ છે શૂરાનો,નહીં કાયરનું કામ જો ને .  - પ્રીતમ
36.    શ્યામ રંગ સમીપે ન જાઉં,              - દયારામ  
37.    મેરૂ રે ડગેને જેનાં મનના ડગે....                - ગંગાસતી  
38.    વ્રજ વહાલું રે,વૈકુંઠ નહીં આવું,                    - દયારામ  
39.    અંધેરી નગરી ને ગંડુ રાજા....   - દલપતરામ  
40.    આ વાધને કરૂણ ગાન વિશેષ ભાવે...  - નરસિંહરાવ દિવેટિયા
41.    નિશાન ચૂફ માફ નહી નીચું નિશાન..    - બ.ક.ઠાકર
42.    મને એ સમજાતું નથી કે આવું શાને થાય છે.- કરસનદાસ માણેક
43.    માનવી ભૂંડો નથી,ભૂખ ભૂંડી છે,      - પન્નાલાલ પટેલ
44.    ઈંધના વીણવા ગઈતી મોરી સહિયર, - રાજેન્દ્ર શાહ
45.    પાન લીલુ જોયું ને તમે યાદ આવ્યા,જાણે મોસમનો
પહેલો વરસાદ ઝીલ્યો રામ,એક તરણું કોળ્યું ને તને
યાદ આવ્યા, - હરીન્દ્ર દવે
46.    મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...        - રાવજી પટેલ
47.    ઉંબરે ઉભી સાંભળું રે બોલ વાલમ...        - મણિલાલ દેસાઈ
48.    શોધતો હતો ફૂલને ફોરમ શોધવી હતી..    - ચંદ્રકાન્ત શેઠ
▪ભવાઈના પિતા :- અસાઈત ઠાકર

▪ભવાઈની શરુઆત કરાવનાર :- અસાઈત ઠાકર

▪અસાઈત ઠાકરનું ગામ :- સિધ્ધપુર

▪અસાઈત ઠાકરે લખેલા વેશ :-360

▪ભવાઈનો સૌથી જૂનો વેશ :-રામદેવપીરનો વેશ

▪અસાઈતનાં વંશજોની ઓળખ :-  તરગાળા

▪ભવાઈનો અર્થ :-  ભવની વહી એટલે ભવની કથા, જિંદગીની કથા

▪ભવાઈ માતાજીનો મહાપ્રસાદ :- ઊમિયા માતાજીનો

▪ભવાઈનું મુખ્ય વાજિંત્ર :- ભૂંગળ

▪ભવાઈના પાત્રો :-ખેલૈયા

▪ભવાઈના મુખ્ય પાત્રો :- રંગલો - રંગલી

▪ભવાઈમાં ભાંણ અને ભાણિકા જેવો વેશ કરનારા:- ભાંડ કહેવાયા

▪ભવાઈમાં વેશ શિખવનાર :- વેશગોર

▪ભવાઈમાં ત્રણ પુરુષ વેશ ભજવે તે :- મૂછબંધ કહેવાય

▪ભવાઈમાં ત્રણ સ્ત્રી વેશ ભજવે તે :-કાંચળિયા

▪ભવાઈમાં ડગલાને કહેવાય :- વિદૂષક

▪અસાઈત ઠાકરનો સમયગાળો :-દિલ્હી સલ્તનત

▪અસાઈત ઠાકરનો સમયગાળો :-14 મી સદી
આખ્યાન ના પિતા - ભાલણ

આખ્યાન શિરોમણી  - પ્રેમાનંદ


માનવીની ભવાઈ - પન્નાલાલ પટેલ

માનવીનો માળો -પુષ્કર ચંદરવાકર
લીલુંડી ધરતી -ચુંનીલાલ મડીંયા

લીલુંડા લેજો - પુષ્કર ચંદરવાકર
બેકાર - ઈબ્રાહીમ પટેલ

બેફામ - બરકતઅલી વિરાણી

મસ્ત -  બાલશંકર ઉલ્લાસરામ કંથારિયા

મસ્ત કવિ - ત્રિભુવન ભટ્ટ
બારી બહાર -પ્રહલાદ પારેખ

ઉઘાડી બારી - ઉમાશંકર જોશી.
ગતિ અને ધ્વનિ - જયન્તં ખત્રી

ધ્વનિ -રાજેન્દ્ર શાહ..
ઝેર તો પીધા જાણી જાણી (કૃતિ)  - મનુભાઈ પંચોલી

ઝેર તો પીધા જાણી જાણી (પંક્તિ ) - મીરા બાઈ
વસંત વિજય -  ખંડ કાવ્ય - મણીશંકર રત્નજી ભટ્ટ

વસંત વિલાસ  - ૠતુ કાવ્ય
ગુજરાત નો ઈતિહાસ આપનાર - પ્રાણલાલ એદલજી ડોસા

અમદાવાદ નો ઈતિહાસ આપનાર - મગનલાલ વખતચંદ શેઠ

ગુલાબ - નગીનદાસ મારફતીયા.
પીળું ગુલાબ અને હુ - લાભશંકર ઠાકર..
સિંહાસન બત્રીસી,નંદબત્રીસી- શામળ
જ્ઞાનબત્રીસી- ધીરો.

શિવમ્ સુંદરમ્ - હિંમતલાલ પટેલ
સુંદરમ્ - ત્રિભુવન દાસ લુહાર
સત્યમ્ - શાંતિલાલ શાહ

બારી બહારના કવિ તો પ્રહલાદ પારેખ જ આવે પરંતુ બારી ઉઘાડી રહી ગઈ એમા શિવકુમાર જોશી આવે.
મહાનુભાવોના ઉપનામ
ગાંધીજી-રાષ્ટ્રપિતા, બાપુ, સાબરમતીના સંત

સરદાર વલ્લભભાઈ પટેલ-સરદાર, લોખંડીપુરુષ, ભારતના બિસ્માર્ક

‎મોહંમદ બેગડો-ગુજરાતનો અકબર

ડૉ ચંદુલાલ દેસાઈ- છોટે સરદાર

 ‎જમશેદજી તાતા-ભારતીય ઉદ્યોગ ના પિતામહ

વર્ગીસ કુરિયન-શવેતક્રાંતિના જનક

ડૉ. હોમી ભાભા-અણુશક્તિના પિતામહ

 ‎જામ રણજીતસિંહજી-કરિકેટનો જાદુગર

પુષ્પાબહેન મહેતા-મહિલા વિકાસ પ્રવૃત્તિના મશાલચી

ગણેશ વાસુદેવ માવળંકર-ભારતની સંસદ ના પિતા

‎કુમારપાળ -ગજરાતનો અશોક

 ગિજુભાઈ બધેકા-બાળકોની મુછાળી મા

શ્રીમદ રાજચંદ્ર- સાક્ષાત સરસ્વતી

નરસિંહ મહેતા-આદિ કવિ

મીરાબાઈ-દાસી જનમ જનમની
 ‎
અખો   -જઞાન નો વડલો

નર્મદ-નિર્ભય પત્રકાર યુગવિધાયક સર્જક

ઝવેરચંદ મેઘાણી-રાષ્ટ્રીય શાયર કસુંબીના રંગનો ગાયક
 ‎
પ્રેમાનંદ   -મહાકવિ

 ઉમાશંકર જોશી-વિશ્વશાંતિનો કવિ

પન્નાલાલ પટેલ -સાહિત્યજગતનો ચમત્કાર

ન્હાનાલાલ   -કવિવર
 ‎
કલાપી-સરતાની વાડીનો મીઠો મોરલો

ગોવર્ધનરામ ત્રિપાઠી-પડિતયુગના પુરોધા

આનંદશંકર ધ્રુવ-પરબધ્ધ જ્ઞાનમૂર્તિ

ચુનીલાલ આશારામ ભગત-પજ્ય મોટા

રવિશંકર રાવળ-કલાગુરુ

રવિશંકર મહારાજ -કળિયુગના રૂષી મૂકસેવક

નરસિંહરાવ દિવેટિયા -સાહિત્ય દિવાકર

મોહનલાલ પંડ્યા-ડગળીચોર

ઈન્દુલાલ યાજ્ઞિક-અમીર શહેરના ગરીબ ફકીર

મોતીભાઈ અમીન -ચરોતરનું મોતી

રણજિતરામ વાવાભાઇ મહેતા -ગજરાતની અસ્મિતાના આદ્ય પ્રવર્તક

હેમચંદ્રાચાર્ય   -કલિકાલ સર્વજ્ઞ
 અખંડાનંદ    -જઞાનની પરબ

કસ્તુરભાઈ લાલભાઈ- શીલભદ્ર ,શ્રેષ્ઠી
 ‎
પંડિત સુખલાલજી-પરજ્ઞાચક્ષુ પ્રકાંડપંડિત

ફર્દુનજી મર્જબાન -ગજરાતની પત્રકારત્વનો આદિપુરુષ

‎એલેકઝાન્ડર ફાર્બસ-લોકાભિમુખ રાજપુરુષ

જમશેદજી જીજીભાઈ-હિન્દના હાતિમતાઈ
નરસિંહ મહેતા= આદિ કવિ
મીરાબાઈ=દાસી જનમ જનમની
અખો=જ્ઞાન નો વડલો
નર્મદ=નિર્ભય પત્રકાર યુગવિધાયક સર્જક
ઝવેરચંદ મેઘાણી=રાષ્ટ્રીય શાયર કસુંબીના રંગનો ગાયક
પ્રેમાનંદ=મહાકવિ
ઉમાશંકર જોશી=વિશ્વશાંતિનો કવિ
પન્નાલાલ પટેલ=સાહિત્યજગતનો ચમત્કાર
ન્હાનાલાલ=કવિવર
કલાપી=સૂરતાની વાડીનો મીઠો મોરલો
ગોવર્ધનરામ ત્રિપાઠી=પંડિતયુગના પુરોધા
આનંદશંકર ધ્રુવ=પ્રબધ્ધ જ્ઞાનમૂર્તિ
ચુનીલાલ આશારામ ભગત=પૂજ્ય મોટા
રવિશંકર રાવળ=કલાગુરુ
રવિશંકર મહારાજ=કળિયુગના રૂષી, મૂકસેવક
નરસિંહરાવ દિવેટિયા=સાહિત્ય દિવાકર
મોહનલાલ પંડ્યા=ડુંગળીચોર
ઈન્દુલાલ યાજ્ઞિક=અમીર શહેરના ગરીબ ફકીર
મોતીભાઈ અમીન=ચરોતરનું મોતી
સરદાર વલ્લભભાઈ પટેલ=સરદાર, લોખંડીપુરુષ, ભારતના બિસ્માર્ક
મોહંમદ બેગડો=ગુજરાતનો અકબર
ડૉ. ચંદુલાલ દેસાઈ=છોટે સરદાર
જમશેદજી તાતા=ભારતીય ઉદ્યોગ ના પિતામહ
વર્ગીસ કુરિયન=શ્વેતક્રાંતિના જનક
ડૉ. હોમી ભાભા=અણુશક્તિના પિતામહ
કુમારપાળ=ગુજરાતનો અશોક
ગિજુભાઈ બધેકા=બાળકોની મુછાળી મા
શ્રીમદ રાજચંદ્ર=સાક્ષાત સરસ્વતી
કૉનું શું વખણાય ?

 મીરા બાઈ - પદો
નરસિંહ મહેતા - પ્રભાતિયા
દામોદર બોટાદકર- રસો
કવિ ધીરો - કાફી
 ભોજા ભગત - ચાબખા
 નાન્હાલાલ- ડોલનશૈલી, ઊર્મિકાવ્ય
 અખો - છપ્પા
 શામળ - છપ્પા,પદ્યવાર્તા
 બળવંતરાય ઠાકોર- સોનેટ
 વલ્લભ ભટ્ટ - ગરબા
દયારામ - ગરબી
 કવિ કાન્ત-ખંડ કાવ્ય

 કલાપી- ખંડ કાવ્ય [કેકારો]
 પ્રેમાનંદ -આખ્યાન
 ભાલણ - આખ્ચાનનાં પિતા
ઝવેરચંદ મેઘાણી - લોકસાહિત્ય
 ધૂમકેતુ - નવલિકા [ટૂંકીવાર્તા]
 ગિજુભાઇ બધેકા - બાળ સાહિત્ય
નર્મદ - ગદ્ય
 જ્યોતીન્દ્રે દવે - હાસ્ય સાહિત્ય

પિંગળશી ગઢવી - લોકવાર્તા
 કાલેલકર - નિબંધ,પદ્ય નાટક
 ગુણવંતરાય આચાર્ય - દરિયાઈ નવલકથા
 અમૃત ઘાયલ - ગઝલ
 નરસિંહરાવ દિવેટિયા -એકાંકી
 અસાઇત ઠાકર - ભવાઈ
 મહાદેવભાઇ દેસાઈ - ડાયરી સાહિત્ય
 ક.મા મુનશી - ઐતિહાસિક નવલકથા
 મોહન પટેલ - લઘુક્થા
(૧) ‘કંઠે ભુજાઓ રોપવી’ આ રૂઢિપ્રયોગ નો અર્થ...

(A) અંગત વાત જાણવા ન દેવી
(B) વેદના થી રડવા જેવું થઈ જવું
(C) પોતાની વાત પ્રત્યે અડગ રહેવું
(D) ભાવભીનું સ્વાગત કરવું ✔

(૨) ઘૂમટો તણેલી સ્ત્રી શબ્દસમુહ માટે એક શબ્દ...

(A) સરંગટ ✔
(B) નવોઢા
(C) શિરમોર
(D) લાજીતા

(૩) ‘નિર્મળ ગુજરાત કોને ન ગમે’ આ વાક્ય માં ‘નિર્મળ’ શબ્દ ને વ્યાકરણ ની પરિભાષા માં શુ કહેશો ?

(A) સર્વનામ
(B) કૃદંત
(C) વિશેષણ
(D) સંજ્ઞા

(૪) છન્દ ઓળખવો :
“સોટીને શિક્ષકો કેરા, શાળા માંહે સમાગમે, વિદ્યાને વેદના બે મેં, એક સાથે જ મેળવ્યા”

(A) મંદાક્રાંતા
(B) અનુષ્ટુપ ✔
(C) દોહરો
(D) મનહર

(૫) ‘હલકા તો પરેવાની પાંખથી, મહાદેવથી યે મોટાજી’ - આ પંક્તિ માં અલંકાર કયો છે ?

(A) ઉતપ્રેક્ષા
(B) યમક
(C) વ્યતિરેક ✔
(D) અનન્વય

(૬) ‘બેવટો’ - આ શબ્દ કોના માટે વાપરી શકાય ?

(A) બે વ્યક્તિ માટે
(B) અતિશય વટ માટે
(C) દેશવટો આપીએ ત્યારે
(D) બે નદી ના સંગમ માટે ✔

(૭) ‘અચ્છેર’ શબ્દ ની સંધિ છૂટી પાડો ?

(A) અદ + શેર
(B) અધઃ + શેર ✔
(C) અધ + શેર
(D) અદ્ય + શેર

(૮) ઉચ્ચાર ની રીતે જુદો પડતો મૂળાક્ષર કયો છે ?

(A) ચ
(B) છ
(C) ગ ✔
(D) જ

(૯) શબ્દકોશ ના ક્રમ માં છેલ્લે કયો શબ્દ આવશે ?

(A) ઝરમર ✔
(B) અંજની
(C) જ્ઞાન
(D) જગન્નાથ

(૧૦) ગજલ સાથે સબંધ ન ધરાવતો શબ્દ કયો છે ?

(A) ઉથલો
(B) રદીફ
(C) શેર
(D) મત્લા ✔

(૧૧) ‘ઠરેલ’ શબ્દ નો વિરોધી શબ્દ જણાવો.

(A) વાણો
(B) ઉછાંછળૂ ✔
(C) અદ્વૈત
(D) છૂટ

(૧૨) ‘સંદેશ’ વર્તમાનપત્ર ના તંત્રી કોણ છે ?

(A) શ્રેયાશ શાહ
(B) યશવંત શાહ
(C) ફાલ્ગુનભાઈ પટેલ ✔
(D) ભુપત વડોદરિયા

(૧૩) ....... માં રહેવા થી સુખ મળે એવું ક્યાં છે ? - યોગ્ય શબ્દ મુકો.

(A) પ્રસાદ
(B) પ્રાસાદ ✔
(C) કુટિયા
(D) નગરી

(૧૪) નીચેના માંથી કઈ જોડણી ખોટી છે ?

(A) સરઘસ
(B) સૂનમુન ✔
(C) તિમિર
(D) વિજળી

(૧૫) રણમલ છન્દ ના રચયિતા નું નામ શું છે?

(A) શાલીભદ્ર સુરી
(B) વિનયચંદ્ર
(C) જિન સુરી
(D) શ્રીધર વ્યાસ ✔

(૧૬) આતો ભગવાનની લીલા છે - વિભક્તિ ઓળખાવો.

(A) સંપ્રદાન વિભક્તિ
(B) સબંધ વિભક્તિ ✔
(C) અપાદાન વિભક્તિ
(D) અધિકરણ વિભક્તિ

(૧૭) જેનું એક પણ બાળક મરી ન ગયું હોય તેવી સ્ત્રી - માટે નો સમાસિક શબ્દ જણાવો.

(A) અવિકારી
(B) અખોવાન ✔
(C) અખંડ સૌભાગ્યવતી
(D) અન્નપૂર્ણા

(૧૮) ‘અનભે’ શબ્દ નું શિષ્ટ રૂપ આપો.

(A) ભયભીત
(B) આકાશ
(C) નિર્ભય ✔
(D) વાદળ

(૧૯) મને પણ રાત્રે નીંદ નથી આવતી. - નિપાત ઓળખો

(A) નથી
(B) પણ ✔
(C) રાત્રે
(D) નિંદ

(૨૦) નીચે માંથી કયો એક રૂઢિપ્રયોગ છે ?

(A) ઉતર્યો અમલ કોડી નો
(B) એક પંથ ને દો કાજ
(C) એક હાથે તાળી ન પડે
 (D) ડાગળી ચાસકી જવી ✔

(૨૧) ‘મ સ જ સ ત ત ગા’ ગણ બંધારણ કયાં શબ્દ નું છે ?

(A) મંદાક્રાંતા
(B) શાર્દુલવિક્રિડીત ✔
(C) વસંતતિલકા
(D) સગધરા

(૨૨) નીચેના પૈકી કયો છન્દ અક્ષરમેળ છન્દ છે ?

(A) દોહરો
(B) હરિગીત
(C) ચોપાઈ
(D) અનુષ્ટુપ ✔

(૨૩) ‘શર’ શબ્દ નો અર્થ જણાવો.

(A) શૂરાતન
(B) સરોવર
(C) બાણ ✔
(D) માથું

(૨૪) નીચેના પૈકી કયાં શબ્દ ની જોડણી બંને રીતે માન્ય નથી ?

(A) ભાવિ - ભાવી ✔
(B) કવીન્દ્ર - કવિન્દ્ર
(C) કુટીર - કુટિર
(D) રાષ્ટ્રિય - રાષ્ટ્રીય

(૨૫) ગુજરાતી ભાષા નો પ્રથમ શબ્દકોશ....

(A) નવો કોશ
(B) નર્મ કોશ ✔
(C) સાર્થ કોશ
(D)

National Science Day 2017 Speech 28 Feb India in Gujrati: Know Everything about the Science Day

National Science Day 2017 Speech 28 Feb India in Gujrati: Know Everything about the Science Day
.Image result for science day in india
ભારતીય ભૌતિકશાસ્ત્રી સર ચંદ્રશેખર વેંકટ રમણની રમણ ઈફેક્ટની શોધ માટે 28 મી ફેબ્રુઆરીએ ભારત દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવે છે, જેના માટે તેમને 1 9 30 માં ફિઝિક્સમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ દિવસે, શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ વિવિધ વિજ્ઞાનનું પ્રદર્શન કરે છે. તેમના સંબંધિત સંસ્થાઓમાંના પ્રોજેક્ટ્સ અને પુરસ્કારો તેમને પણ એનાયત કરવામાં આવે છે. આ દિવસે રોજ કરવામાં આવેલા અન્ય પ્રવૃત્તિઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી, લાઇવ પ્રોજેક્ટ્સ, રેડિયો ટીવી ટૉક શો, વિવિધ ખ્યાલો અને થીમ્સ અને ઘણા વધુ પર આધારિત પ્રદર્શનનો સમાવેશ થાય છે. રામન ઇફેક્ટની શોધની ઉજવણી માટે ઉજવણી, રેડિયો એસ્ટ્રોનોમી સેન્ટર (આરએસી) ઊટી, ધોડાદ, પૂણે, મહારાષ્ટ્રમાં જાયન્ટ મેટ્રેવેવ રેડીયો ટેલીસ્કોપ (જીએમઆરટી) ખાતે થાય છે જે તેના ટેલીસ્કોપથી વિખ્યાત છે, જે નીચા રેડિયો ફ્રીક્વન્સીઝ પર કામ કરે છે. અણુ ઊર્જા વિભાગ હેઠળ એનસીઆરએ (નેશનલ સેન્ટર ફોર રેડિયો એસ્ટ્રોફિઝિક્સ).
દિવસ ઉજવણી કરવા માટે, પશ્ચિમ બંગાળમાં શાળાઓ આગળ પગલું લે છે. Foldscope.com તરીકે ઓળખાતા લોકપ્રિય વિજ્ઞાન પોર્ટલના સર્જકો હવે સમગ્ર રાજ્યના તમામ શાળાઓમાં $ 1 ઓરિગામિ પેપર માઇક્રોસ્કોપ આપશે જે મફતમાં છે. આ માઈક્રોસ્કોપનું શોધક મનુ પ્રકાશ છે, જે ભારતીય વૈજ્ઞાનિક છે અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં બાયોએન્જિનિયરિંગના પ્રોફેસર પણ છે. એક આઇએએસ અહેવાલ મુજબ, ઇસ્લામ વોટરલૂના યુનિવર્સિટી ઓફ મેલબોક્સમાં એક ફેકલ્ટી છે, મેલ દ્વારા જણાવ્યું હતું કે, "અમે ફોલ્ડસ્કોપના નવીનીકરણ પર માત્ર એક લેખ પ્રકાશિત કર્યો નથી. અમે સંશોધકો (સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધનકાર મનુ પ્રકાશ) ને સંપર્ક કર્યો છે, જેણે અમને લગભગ બે ડઝનેક માઇક્રોસ્કોપ્સ મોકલ્યા છે જે અમે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં વિભિન્ન શાળાઓમાં વહેંચ્યા હતા. અમે તેના સત્તાવાર વેબસાઇટ માટે ફોલ્ડસ્કોપની વિધાનસભા સૂચનો પણ અનુવાદિત કર્યા છે. "
દર વર્ષે વિવિધ વિષયો સાથે નેશનલ સાયન્સ ડેની રચના કરવામાં આવે છે. 1 999 માં, 'અમારી ચેન્જિંગ અર્થ'ની થીમ' 2000 માં ',' બેઝિક સાયન્સમાં રિક્રુટિંગ ઇન્ટરેસ્ટ 'હતું, 2005 માં તે' ઉજવણી ફિઝિક્સ 'હતું, 2010 માં થીમ' જાતિ ઇક્વિટી, વિજ્ઞાન અને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ માટે ટેકનોલોજી 'હતી. 2015 માં થીમ 'નેશન બિલ્ડીંગ ફોર નેશન બિલ્ડીંગ' હતી અને આ વર્ષનો વિષય 'સ્પેશિયલ એબલ્ડ પર્સન માટે સાયન્સ એન્ડ ટેક્નોલોજી' છે.

Holi Festival

Holi Festival
દર વર્ષે ફાગણ માસની પુનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી. 
હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં,અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને ‘રંગોનો તહેવાર’ પણ કહેવાય છે. ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં,હોળીને ‘હુતાસણી’થી ઓળખવામાં આવે છે. હોળીના બીજા દિવસ ધુળેટીને ‘પડવો’ કહેવામાં આવે છે. 
હોળીના દિવસોમાં ઘણા વિસ્તારોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધા જ લતાઓ કે વિસ્તારોમાં ફરીને હોળી માટેનો ફાળો ઉઘરાવવા નિકળે છે, આ લોકોને ઘૈરૈયાઓ કહેવાય છે. સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા,લાકડાં ની ‘હોળી’ ખડકીને હોળી પ્રગટાવવામાં આવે છે. 
લોકો પ્રગટાવેલ હોળીની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી હોળીનું  પૂજન કરે છે.  ઉજવણીની રીતો અલગ હોઈ શકે એમ છતાં દરેકની ભાવના એક જ હોય છે, 

હોળી આવતા લોકો ખુબ ઉત્સાહિત થઇ જાય છે . વર્ષનો આ સમય વસંત ઋતુના વધામણાનો સમય હોય છે. ખેતરો પાકથી લહેરાતાં  હોય છે. યુવાન હૈયાં વસંતની સાથોસાથ ખીલી ઉઠે છે. કુદરતમાં પુષ્પોનો પમરાટ અને એક જાતની માદકતા છવાઈ જાય છે જે ઢોલીના ઢોલ સાથે ગવાતા ફાગણના ફાગ અને ધુળેટીના રંગોમાં રંગાઈને ઝૂમી ઉઠતાં જુવાન નર-નારીઓમાં જણાઈ આવે છે. એટલે તો હોળીને ‘દોલયાત્રા’ કે ‘વસંતોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. 


હોળીના બીજા દિવસે ધુળેટી મનાવાય છે. આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબીજા  પર અબિલ,ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી, રંગોની વર્ષામાં તરબોળ થઈને પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે.  કેટલાક લોકો આ દિવસોએ ભગવાન શિવને યાદ કરી ભાંગના નશાનો આનંદ લઈને મસ્ત બનીને નાચે છે. બોલીવુડની ફિલ્મી દુનિયાની જાણીતી હસ્તીઓ પણ ધુળેટીના રંગોમાં રંગાવાથી બાકાત રહેતી નથી. ”રંગબરસે,ભીગે ચુનરવા” જેવાં ગીતો ઘણી હિન્દી ફિલ્મોમાં જોવા મળે છે. 

હોળી સાથે સંકળાયેલી પૌરાણિક કથાઓ . 
હિંદુ ધર્મમાં આને લગતી “હોલિકા અને પ્રહલાદ”ની કથા બહુ જાણીતી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર,હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો.એને  બ્રહ્માજીનું વરદાન હતું કે તે ‘દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી એનું મૃત્યું થશે નહીં’.આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો.તેને મારવો એ લગભગ અસંભવ થઇ ગયું.આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો.સ્વર્ગ અને પૃથ્વી પર બધેજ હાહાકાર મચાવી દીધો. તેણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનો હુકમ કર્યો. 
હિરણ્યકશિપુનો પોતાનો પૂત્ર,પ્રહલાદ,ભગવાન વિષ્ણુનો ભક્ત હતો.એને   કંઇ કેટલાં ય પ્રલોભનો તથા ડર બતાવી એણે ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી.તેણે પ્રહલાદને મારવા માટે પણ બહું જ પ્રયત્ન કર્યા પરંતુ ઇશ્વરકૃપાથી તે બધા વિફળ રહ્યા.છેવટે પ્રહલાદને મારી નાખવાના  ઉદેશથી હિરણ્યકશિપુએ બાળક પ્રહલાદને, પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસી,અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો.હોલિકા,કે જેની પાસે એક એવી ઓઢણી હતી કે જે ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાથના કરી.અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ વળી,આથી હોલિકા અગ્નિમાં બળીને  ભસ્મ થઇ ગઈ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની. પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશિપુના વધની કથા આવે છે,જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી બરાબર સંધ્યા સમયે, ઘરનાં ઉંબરા વચ્ચે, પોતાનાં ખોળામાં બેસાડીને પોતાના નખ દ્વારા ચીરી નાખી, હિરણ્યકશિપુનો વધ કરે છે.આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ એટલે હોળી મનાવવામાં આવે છે. 

Tet Paper solution date 4/3/2018

Tet Paper solution date 4/3/2018
રોજિંદા શૈક્ષણિક માહિતી આ વેબસાઇટ પર મૂકવામાં આવે છે. ગુજરાતમાં યોજાયેલી વિવિધ પરીક્ષાઓમાં ઉપયોગી સાહિત્ય ઉપલબ્ધ છે. જીપીએસસી, યુપીએસસી, બેન્ક, ક્લાર્ક, તલાટી, પોલીસ, ટાટા, ટાટા, એચ. ટેટ, સી.આર.સી., બી.આર.સી. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાષા, ગણિત, વિજ્ઞાન, સામાજિક, સામાન્ય જ્ઞાન વગેરે જેવા વિષયો તૈયાર કરવા માટે આ વેબસાઇટની મુલાકાત લો. પ્રાથમિક શાળામાં ઉપયોગી સાહિત્ય ઉપલબ્ધ છે. જો તમે પ્રાથમિક શાળા શિક્ષક બનવા અથવા સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર થવા માંગતા હો, તો આ વેબસાઇટ ગુજરાત, ભારત, વિશ્વ સંબંધિત સામાન્ય જ્ઞાન, ગણિત, વિજ્ઞાન વિષયો વિશેની માહિતીનો ખજાનો આપવામાં આવી છે.

TET-1 PAPER SOLUTION PROVISION KEY- DOWNLOAD
tet paper solution date 4/3/2018 - download here 
tet paper solution date 4/3/2018- Download here
general paper solution-  Download here  

PRIMARY SCHOOL HTAT USER GUIDE

રોજિંદા શૈક્ષણિક માહિતી આ વેબસાઇટ પર મૂકવામાં આવે છે. ગુજરાતમાં યોજાયેલી વિવિધ પરીક્ષાઓમાં ઉપયોગી સાહિત્ય ઉપલબ્ધ છે. જીપીએસસી, યુપીએસસી, બેન્ક, ક્લાર્ક, તલાટી, પોલીસ, ટાટા, ટાટા, એચ. ટેટ, સી.આર.સી., બી.આર.સી. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાષા, ગણિત, વિજ્ઞાન, સામાજિક, સામાન્ય જ્ઞાન વગેરે જેવા વિષયો તૈયાર કરવા માટે આ વેબસાઇટની મુલાકાત લો. પ્રાથમિક શાળામાં ઉપયોગી સાહિત્ય ઉપલબ્ધ છે. જો તમે પ્રાથમિક શાળા શિક્ષક બનવા અથવા સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર થવા માંગતા હો, તો આ વેબસાઇટ ગુજરાત, ભારત, વિશ્વ સંબંધિત સામાન્ય જ્ઞાન, ગણિત, વિજ્ઞાન વિષયો વિશેની માહિતીનો ખજાનો આપવામાં આવી છે.



આ પુસ્તક શાળામાં આચાર્યો માટે ખૂબ જ ઉપયોગી છે

શાળાના નોંધણીઓનું જાળવણી, પ્રત્યેક રજિસ્ટ્રારની માહિતી દરેક રજિસ્ટ્રારને આપવામાં આવે છે.

જો તમે આચાર્ય હો, તો આ ફાઇલ HTAT હોવી જોઈએ




HTAT USER GUIDE PDF - CLICK HERE DOWNLOAD